સૂવા દે એને આ કાળમીંઢ પથ્થરો નીચે
કારણ એ જાગશે તો-
જાણી જશે કે,
એનાં અસ્થિ-વિસર્જનની સાથે જ,
‘સત્યનાં પ્રયોગો’નું પણ વિસર્જન થઇ ચૂક્યું છે.
એ જાણી જશે
એની જન્મતિથિ-પુણ્યતિથિ પર
એકઠાં થતાં એ શ્વેત ખાદી વસ્ત્રોધારી
નેતાઓનું રાજકારણ પણ
અને પછી રોજે રોજ સળગશે એ,
એની સમાધિ પર પ્રજ્વલ્લિત અખંડ જ્યોત સમ…..
ગોડસે પણ બોલી ઉઠશે કે,
‘હે રામ!’ આ ગાંધી મને ક્યાં નડતો હતો ?!!
૩૧.૮.૨૦૦૭, શુક્રવાર, દિલ્હી.