ગાંધીજીના ત્રણ વાંદરા હતા અવઢવમાં,
આખરે આંખ ખોલીને વાંદરો બોલ્યો,
“ભાઇ, આ જમાનામાં કદી કોઇનું જોવું નહિં !!”
બીજો વાંદરો, તરત મોં પરથી હાથ લઇને બોલ્યો,
“હા,ભાઇ અને કદી કોઇને કંઇ કહેવું પણ નહિં .”
ત્રીજો વાંદરો કાન પરથી હાથ ખસેડી બોલ્યો,
“સાવ સાચી વાત, કદી કોઇનું સાંભળવું (માનવું) નહિં .”
ગાંધીજીના પૂતળાએ, જોરથી હોઠ ભીડી,
કાન પર હાથ મૂકી, કાયમ માટે આંખો મીંચી દીધી……..!!!
૨૦.૯.૨૦૦૭, ગુરુવાર, અમદાવાદ.