“ગઝલપૂર્વક” દ્વિતીય આવૃત્તિ
Pinki on May 14th 2008 12:50 pm
સાહિત્ય પ્રેમીઓ,
આપણા સૌના હૃદયમાં જેની ગઝલપૂર્વકની અસ્ખલિત વાક્.ધારા શબ્દશઃ અંકિત થઈ જાય છે તેવા આપણા
લાડકા અંકિત ત્રિવેદીના પુસ્તક ‘ગઝલપૂર્વક’ની
દ્વિતીય આવૃત્તિનું વિમોચન શ્રી આદિલ મન્સૂરીના હસ્તે
૧૭ મે,શનિવાર, રાત્રે ૮ વાગે-
ભાઇદાસ સભાગૃહ, વિલે પાર્લે, મુંબઈ રાખેલ છે.
પ્રકાશન નિમિત્તે એક મુશાયરાનું પણ આયોજન
કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતી ગઝલની પાંચ પેઢી
જલન માતરી, આદિલ મન્સૂરી, ખલીલ ધનતેજવી,
સુરેન ઠાકર ‘મેહુલ’, હર્ષ બ્રહ્મભટ્ટ, રાજેશ વ્યાસ’મિસ્કીન’,
ઉદયન ઠક્કર, હેમેન શાહ, મુકુલ ચોકસી, રઇશ મનીઆર,
મુકેશ જોષી, હિતેન આનંદપરા, સૌમ્ય જોશી એક સાથે
એક જ મંચ પર પોતાની રચનાઓ રજૂ કરશે.
પ્રાસંગિક પ્રવચન શ્રી સુરેશ દલાલ તથા
મુશાયરાનું સંચાલન શ્રી સુરેન ઠાકર’મેહુલ’ કરશે.
મીનળ પટેલ અને ઉત્કર્ષ મજમુદારના તરન્નુમ
કાર્યક્રમનું સંચાલન અંકિત ત્રિવેદી કરશે.
અંકિતભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..
Filed in વિશેષ | Comments (10)
અંકિતજી ને હાર્દિક શુભેચ્છાઓ..એક સાથે આટલા બધા મહાનુભાવો ને એક જ મંચ પર સાંભળવા પણ એક લાહવો છે..
અંકિતભાઈને અમદાવાદમાં ક્યારેક મળવાનું થઈ જાય છે. તેઓ સારા કવિ તો છે જ, મંચ સંચાલન ખૂબ સુંદર કરે છે. ગઝલસંગ્રહના લોકાર્પણ પ્રસંગે તેમને અભિનંદન
અંકિતભાઈને અંતરની શુભેચ્છાઓ.
કાશ ! ભાઇદાસ સભાગૃહ, વિલે પાર્લે, મુંબઈ જઈ શકાય!
અનેકાનેક શુભેચ્છાઓ અંકીતને-
અંકીત સભાનું સંચાલન કરતો હોય તો અંદાજ કાંઈ ઔર જ હોય-
આ સભાનું કોણ સંચાલન કરશે?
અને ફોટા સાથે સંપૂર્ણ અહેવાલની જવાબદારી પીન્કીની…
ચોક્કસ …..
એની જવાબદારી મારી !!
ગઝલપૂર્વક માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ…
હાર્દિક અભિનંદન…
ખુબ આભિનન્દન્, to both Ankitbhai. Thanks, Pinkiben for info..
પીંકી, ખૂબ ખૂબ આભાર આ સુંદર માહીતિ બદ્દલ.
અંકિતભાઈને હાર્દિક અભિનંદન…સંપૂર્ણ અહેવાલની રાહ જોઈશું.
ઘણી કોશીશ કરી મુંબઇ પહોંચવાની પણ સંજોગ ન થઇ શક્યો હવે તો અહેવાલથીજ દીલ બહેલાવશું
ગઝાલપૂર્વકને આદરપૂર્વક નમન ! અંકિત્ભાઈને અઢળક શુભકામનાઓ !